Kedarnath Ropeway: સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપ-વે બનશે, 9 કલાકની મુસાફરી 36 મિનિટમાં પૂર્ણ થશે, કેબિનેટે આપી મંજૂરી. જાણો સંપૂર્ણ માહિતી.
Kedarnath Ropeway: કેદારનાથના દર્શને જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારે રોપવેની યોજનાને મંજૂરી આપી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે.
Kedarnath Ropeway સોનપ્રયાગથી કેદારનાથ રોપ વે પ્રોજેક્ટને મંજુરી મળી
- હાલમાં 8-9 કલાકનો પ્રવાસ હવે માત્ર 36 મિનિટમાં પૂર્ણ થશે.
- પર્યાવરણને અનુકૂળ, આરામદાયક અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
- ચારધામ યાત્રાનો પ્રચાર થવાથી સ્થાનિક વ્યવસાયોને ફાયદો થશે.
- યાત્રાળુઓની અવરજવર આખા છ મહિના સુધી ચાલુ રહેશે, જેનાથી પહેલા બે મહિનામાં સંસાધનો પરનું ભારે દબાણ ઘટશે.
- મુસાફરીની મોસમ દરમિયાન રોજગારીની તકો વધશે.
- વૃદ્ધો અને અપંગો માટે મુસાફરીને વધુ સુલભ અને અનુકૂળ બનાવશે.
આ પણ ખાસ વાંચો:
- કુંવરબાઈનું મામેરું યોજના: છેલ્લા પાંચ વર્ષમાં 43,000થી વધુ લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવી
- PMJAY Yojana Help Line: PMJAY યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે 079-6644-0104 હેપ્લ લાઈન નંબર કાર્યરત કરાયો
કેન્દ્રીય કેબિનેટે બુધવારે રાષ્ટ્રીય રોપ-વે ડેવલપમેન્ટ પ્રોગ્રામ – પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિલોમીટર લાંબા રોપ-વે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી હતી. તેનાથી કેદારનાથ પહોંચવામાં સરળતા રહેશે. આ સાથે અન્ય પ્રોજેક્ટ હેમકુંડ રોપવે માટે પણ કેબિનેટ પાસેથી મંજૂરી મળી ગઈ છે. જે અંતર કાપવામાં 9 કલાકનો સમય લાગતો હતો તે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ માત્ર અડધો કલાકનો સમય લાગશે.
આ રોપવે જાહેર અને ખાનગી પાર્ટનરશીપમાં વિકસિત કરવાની યોજના છે. તે સૌથી ઉન્નત ટ્રાઇ-કેબલ ડિટેચેબલ ગોંડોલા (3એસ) ટૅક્નોલૉજી પર આધારિત છે. તેની ડિઝાઇન ક્ષમતા 1800 પેસેન્જર પ્રતિ કલાક પ્રતિ દિશા (પીપીએચપીડી) રહેશે. રોજિંદા 18,000 યાત્રાળુઓ રોપવે મારફત દર્શનનો લાભ લઈ શકશે. તેનું નિર્માણ અને સંચાલન આખા વર્ષ દરમિયાન મહેમાનગતિ, પ્રવાસ, ભોજન, પાણી અને યાત્રા સંબંધિત ક્ષેત્રોને વેગ આપતાં ટુરિઝમ સેક્ટરમાં રોજગારની તકો ઊભી કરશે.